Br Karsanbhai - A dedication to The Professor of Inner Engineering

In complete awareness of his soul, Pujya Brahmnishth Karsanbhai left his mortal body and continues his onward journey to Moksh.

It is our privilege to be graced by the satsang of Enlightened teachers such as Br Karsanbhai.


સંપૂર્ણપણે આત્મામાં જાગૃત રહી બ્ર પૂજ્ય કરસનભાઇનો દિવ્ય આત્મા સમધિભાવે દેહનો ત્યાગ કરી ઉર્ધ્વગમન કરી ગયો.

દેહના સાંયોગિક સંબંદથી પોતાના આત્માને મુક્ત રાખી તેઓ સતત જ્ઞાનભાવમાં સ્થિર રહ્યા હતા. દેહમાં ઘણી અશાતા હોવા છતાં તેઓ પોતાની આત્મ મસ્તીમાં મગ્ન હતા. આજે સવારે, કુટુંબીજનોને પોતાના હાથે નોટ બુકમાં લખીને કહ્યું કે "મારી જે કોઈ ભૂલ ચૂક થઈ હોય તે માફ કરશો". છેલ્લા થોડાં દિવસથી તેઓ પોતાના હાથે બાજુમાં રાખેલ નોટ બુકમાં જે કંઈ લખાણ કર્યું છે તેને વાચતા અત્યંત ગૌરવ વેદાય. પરમ પૂજ્ય ભાઇશ્રીની એકાંત મૌન શિબિરોનું કેવું દિવ્ય પરિણામ આવી રહ્યા છે.

- બ્ર.મીનળબેન અને બ્ર.વિક્રમભાઈ

પરમ પૂજ્ય ભાઇશ્રી, હું સતત મારા સ્વરૂપમાંજ છું. દેહથી ભિન્ન થઈ ગયો છું. દેહાદિન પ્રારબ્ધ કર્મના ઉદયાનુસાર ની અસરને સમભાવે વેદી રહ્યો છું? હવે મારે અનશનના, પાણી ખોરાક બંધ કરવાના પચખાણ લેવા છે તો આપની આજ્ઞાનુસાર કરું. મારી સ્થિતિની મીનળબેન પાસેથી સર્વ માહિતી મેળવશો તો મારી આંતરિક દશા જણાવશે. અનશનના પચખાણ માટે ભાવ થયા છે.

As an act of gratitude, and a pramod reflection of his divine inner virtues we share a few of your experiences, and memories of your time with Br Karsanbhai below as a dedication to him.