Inner Transformation

Goal 10: Be Happy and Spread Happiness

Goal 10:

Be Happy and Spread Happiness

I shall remain happy and spread happiness.

ધ્યેય ૧૦:

આનંદની પ્રસાદી

હું સદૈવ પ્રસન્ન રહીશ અને મારા અંતર આનંદની પ્રસાદીથી સર્વ જીવોને સુખ આપવાનો પ્રયત્ન કરતો રહીશ.

Goal 10 combined.jpg

Be Happy Spread Happiness

Bapuji laughing.jpg

How blissful and angelic our life would be if we could always be happy and be spreading happiness. If we look closely at our motivations, happiness is always our main goal. Happiness is the end result we desire from all our activities and efforts. Happiness is our eternal desire.

But what does it mean to be happy? What is its true source? Can anyone emain permanently happy?

We all seek happiness externally

Most of us find happiness in the food we eat, clothes we wear, friends we meet, movies we see, games we play and so on. These are all part of our external existence. Our search for happiness has mostly remained external. We try connecting to things that have never been or will never be part of us. But, none of these are sources of permanent happiness.

shopping.jpg

Happiness lies within

Param Pujya Bhaishree points us in the opposite direction.

"Be with your self, do nothing, just relax and manifest peace. True happiness lies within you. Happiness is your inherent nature. o find true permanent happiness you need to know, understand, meditate and realise the basic fundamental characteristic of your soul."

Screen Shot 2017-09-05 at 15.00.44.png

Gladly welcoming everything that comes our way, seeing God in all living beings, loving, caring and forgiving: these are the sources of true happiness. With a peaceful and joyful state of self awareness, inner wakefulness, resting in pure consciousness, and delightful contentment we can dwell in our own natural home of happiness.

Screen Shot 2017-09-05 at 15.00.56.png

We have a choice in every situation

If we look closely we are surrounded by the ongoing miserable conditions of life. unsatisfied desires, hysical illness, problems of ageing, lack of enough income, misunderstandings due to the generation gap, natural calamities, errorism, tensions between countries, clashes among communities etc.

There are always innumerable reasons to remain sad and depressed. How do we deal with them? In the midst of depressing and hateful circumstances, can we still be a messenger of joy and peace?

Even while we confront social injustices and fight for a better situation for ourselves and others, we can still protect our liveliness and optimism. We can choose to guard our happiness at all times. If we are not careful, then even when we have what we wanted, we will remain unhappy.

Let us take full responsibility for our own happiness. Our experience of life depends on how we accept situations and how we react to them.  

IMG-20170519-WA0021.jpg
Br Rasikbhai Patel.jpg

Break free from the smallness and expand your love

Guiding us towards the permanent happiness that we all desire, Bhaishree tells us that love is the path we must walk on:

"You identify yourself with the body, so you direct your love towards those with whom you have a relationship with at the physical level. You are not able to manifest the kind of love that is beyond name and form. Realise that your current embodied existence is not your permanent home. Do not get attached to it. Love has no form, love is divine, love is God, love is omnipresent. Love is true happiness. Each one of us is entrusted and empowered with universal love. Misidentification blocks our love and restricts it to just few souls. Become an embodiment of Love, the divine light that you have within you is all pervasive, do not confine yourself in smallness, let your divine light be boundless."      

Screen Shot 2017-09-05 at 15.12.33.png

Beyond the limits of embodied existence

The wheel of reincarnation has been churning out immense pain and misery. Birth, death, old age, illness, all of this suffering is associated with the body. For permanent happiness, we need to free ourselves from embodied existence. Imbibing virtues, the right attitude, adhering to the truth, developing discipline and contemplating our true nature will help us to evolve in this divine love and happiness. Self realization and steadfast consciousness will shed all karmas and liberate our soul. All these virtues are embedded in pure, divine, selfless love.

Adopt an attitude of happiness now

We may feel that until we have achieved self realisation we cannot experience any real happiness, or indeed share it with others. But that is not true, we can each start to cultivate the attitude needed to remain happy right now, amidst our everyday mundane lives.

Contemplate these simple shifts:

- Satisfaction is more important than success.
- Peace is much more valuable than pleasure or power.
- Erase bad memories.
- See the good in others.
- Ignore the thorns, and be happy with the roses you are blessed with.
- Alleviating the pain of others will multiply our own happiness.
- Pursuing self-improvement, is more important than comparing yourself to others.
- Find humor in every situation of life.
- Give yourself more opportunities to laugh, free your restrained energies and be happy.

Calgary+29 happy.jpg

- Spend more time with Mother Nature.
- Place more importance on what you spend, rather than what you have accumulated.
- Be active, exercise regularly or play some sport.

Screen Shot 2017-09-05 at 15.16.56.png

- Read books that help you remain positive and constructive.
- Do not live in the past or in the future, but be attentive in moment of now.
- Enjoy music and sing, even if you may not have a good voice!

America 2009 Br V.jpg

- In every situation, happiness is a choice, opt for it. Develop an attitude to remain happy.
- Live simply and most of your happiness shall remain with you.
- Always be happy inside, as we cannot change things outside us but we can certainly change our approach and attitude towards life.

Like Param Pujya Bhaishree and Pujya Minalben, be happy and spread happiness.

Screen Shot 2017-09-05 at 15.18.32.png

The only relationship that will ever keep us happy is the relationship with our own soul.

A western journalist once asked Mahatma Gandhi, about how he remained so happy at all times. Gandhi’s reply, in three words, was stunningly profound.

Journalist: "Bapu, what is the secret of happiness?".

Gandhi: "Renounce and enjoy"

What is renunciation? It is to let go of all things, that binds our soul. Perfect renunciation is to remain detached from all material things of the world, even while living in midst of them.

Our destiny will unfold in challenging ways, but if we cultivate patience and mindfulness, then we shall be able to respond appropriately to each of our life’s situations. How we choose to deal with these situations shall determine our happiness and our fate.

Renunciation is an act of liberation. Unattached we keep flowing freely.

More than doing, we need to rest in our being.

Rather than being your thoughts and emotions be the awareness behind them.
Having a purpose is important in worldly life, but not having a purpose is the fundamental basis of renunciation. This is how we shall be able to peacefully guard our happiness and spread it too. May Param Pujya Bhaishree’s happiness be ours too.

mahatma-gandhi-laughing.jpeg

આંતરિક પરિવર્તન - આનંદની પ્રસાદી

એવું જીવન તો કેવું સુંદર કે જે જીવનમાં હું સતત આનંદની મસ્તીમાં રહી શકું. સર્વને સુખ, શાંતિ અને આનંદની પ્રસાદી આપી શકું.

આપણી તમામ પ્રવૃત્તિઓનો લક્ષ એ જ છે કે આપણે આનંદમાં રહીએ. જીવનનું મુખ્ય ધ્યેય પણ એ જ છે કે હું સદૈવ સુખી રહું. નાનામાં નાના જંતુથી માંડીને મદોન્મત્ત હાથી સુધીના સઘળા મનુષ્ય તેમજ દેવદાનવોની સ્વાભાવિક ઈચ્છા છે કે તેઓ સુખ, શાંતિ અને આનંદને પ્રાપ્ત કરે.  કોઈ પણ જીવ ક્યારે પણ દુઃખને ઈચ્છતો નથી અને હર-હંમેશ કેવળ આનંદને ઈચ્છે છે. પ્રશ્ન એ છે કે આપણે, સાચું સુખ અને આનંદ કોને ગણીશું? તે સાચું સુખ અને સાચો આનંદ ક્યાંથી મળે? શું કોઈ આત્મા આનંદની સમાધિમાં કાયમ માટે ટકી શકે ખરો?             

અત્યાર સુધી આપણે બાહ્યમાં જ સુખ અને આનંદને શોધતા રહ્યાં છીએ

મોટા ભાગનાં સંસારી જીવો માટે સુખ એટલે સ્વાદિષ્ટ ભોજન, સારા કપડાં, મિત્રો સાથેની મોજમસ્તી, સિનેમા ઘરમાં જઈ કોઈ ચિત્રપટ જોવું, મન ગમતી રમત રમવી અથવા ચોપડી વાંચવી. આ બધાં બાહ્ય પરાવલંબિત સુખો છે. અનાદિકાળથી સુખ, શાંતિ અને આનંદને આપણે શરીર સાથે જોડેલું છે. શરીરના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી. આત્મા તરફ ક્યારેય વળ્યાં નથી કે જે શાશ્વત સુખનો પૂંજ છે, આનંદનો ઘન છે.  

shopping.jpg

આનંદનો મહાસાગર આપણી અંદર રહ્યો છે

આનંદના મહાસાગર એવા પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે, “કંઈ કર નહિ, માત્ર તું તારામાં સમાઈને રહે, પ્રતિભાવ આપ્યા વગર જોયા કર, જાણ્યા કર, અસંગ થતાં જ તને નીરવ શાંતિનો અનુભવ થશે. જેને સંસારની કોઈ જ ફિકર નથી એવો ફકીર બની જા. આનંદ એ તારો મૂળભૂત સ્વભાવ છે. જો તારે શાશ્વત આનંદ જોઈતો હોય તો, આત્માના ગુણ અને લક્ષણોને પ્રથમ જાણ, તેની ઊંડી વિચારણા કર,  ધ્યાનમાં તેનું ચિંતન કર, એમ કરવાથી તું તારા આત્માને સાક્ષાત અનુભવીશ.”            

Screen Shot 2017-09-05 at 15.00.44.png

આનંદ સહિતની જ્યાં અંતરજાગૃતિ ખીલેલી છે, જ્ઞાનભાવમાં રહીને જ્યાં જીવનનાં કાર્યો થાય છે, ત્યાં વિશેષ પ્રકારનો આધ્યાત્મિક સંતોષ અનુભવાય છે. ધીરજ, સહનશીલતા અને ક્ષમા જ્યાં જીવંત છે, ઉદયને પ્રેમથી આવકારવામાં આવે છે, જગતના જીવોમાં ઈશ્વરના દર્શન થાય છે,  વિશ્વના તમામ જીવાત્માઓ પ્રત્યે એક સરખો પ્રેમ વેદાય છે, જ્યાં વાણીમાં અભિમાન નથી, પ્રેમની પાછળ કોઈ હેતુ નથી, અપેક્ષા વગર કાળજી લેવાય છે, અને પ્રાર્થનામાં કોઈ ફરિયાદ કે સ્વાર્થ નથી ત્યાં હરહંમેશ સુખ અને આનંદ નિવાસ કરે છે. આ છે સુખનું - આનંદનું સરનામું.                        

Screen Shot 2017-09-05 at 15.00.56.png

અતૃપ્ત ઈચ્છાઓ, અપંગતા, શારીરિક માંદગી, વૃદ્ધાવસ્થા, ઓછી કમાણી, બે પેઢીઓ વચ્ચેનો વિચાર ભેદ, કુદરતી આપત્તિઓ, આંતકવાદ, બે દેશો વચ્ચેનો તણાવ, બે કોમો વચ્ચે અથડામણ, આવી અનેક બાબતોથી આપણું જીવન ઘેરાયેલું છે. જ્યાં જોઈએ ત્યાં દુઃખ, અશાંતિ અને અસંતોષ દેખાય છે. બાહ્યથી સુખી દેખાતા માણસના અંતરમાં પ્રવેશ કરીએ તો ત્યાં પણ ઉપાધિઓ, કષાયના પરિણામો, ઈર્ષા, ભય, અભિમાન વગેરે ભારોભાર રહ્યાં છે. અનંત દુઃખોથી ભરેલા આવા સંસારમાં હું કઈ રીતે આનંદને પ્રાપ્ત કરું? જ્યાં નફરત અને વેરનું વાતાવરણ ખૂબ છે એવા જગતમાં હું કઈ રીતે આનંદનો પર્યાય બનીને જીવી શકું?                            
ભલે આપણા હક્કો માટે કે પછી અત્યાચારો વિરુદ્ધ લડવું પડે છતાંય આપણે આપણો ઉત્સાહ ટકાવી શકીએ એમ છીએ. જો જાગૃત રહીએ તો બાહ્યમાં જે થઇ રહ્યું છે તેનું દુઃખ મનમાં ન લાગે, ભય ન સતાવે, મન ચિંતાથી મુક્ત રહે અને આવા વિષમ સંજોગો વચ્ચે પણ આપણે આપણા આનંદને જાળવી શકીએ એમ છીએ. સકારાત્મક દ્રષ્ટિ કેળવીને હર્ષપૂર્વક જો આપણે આપણા કર્મના ઉદયને તેમજ જગતમાં થતી ઘટનાઓને સ્વીકારી લઇશું તો આપણો પ્રેમ અને આનંદ ક્યારેય કરમાઈ નહીં જાય. આપણા ઉત્સાહને જીવંત રાખવો એ આપણા હાથની વાત છે.

IMG-20170519-WA0021.jpg
Br Rasikbhai Patel.jpg

તમારા પ્રેમને વિશાળ અને વિરાટ બનાવી દો

મોક્ષના માર્ગદાતા પ.પૂ. ભાઈશ્રી કહે છે કે “આપણે શરીરને જ પ્રાધાન્ય આપ્યું છે. શરીરની ઓળખ એ જ મારી ઓળખ એવું અનાદિથી દ્રઢ થઇ ગયું છે. શરીર સાથેની આ એકત્વ બુદ્ધિ એવી છે કે આપણો પ્રેમ શરીર સુધી જ  મર્યાદિત રહ્યો છે. જે નથી દેખાતું તે છે જ નહિ એ રીતે આત્માને સદંતર ભૂલીને બધા વ્યવહારો થઇ રહ્યાં છે. જે પ્રેમ વિશ્વ વ્યાપી બની શકે એમ છે એ પ્રેમને આપણે નાના કુંડાળામાં પૂરી દીધો છે. ભૂલી જઈએ છીએ કે આ શરીર એ તો ક્ષણભંગુર છે, આત્મા તેમાં લાંબો સમય નથી રહેવાનો. શરીર પ્રત્યેના મોહ તેમજ મમત્વભાવને આપણે બરાબર સમજીને તોડવાનો છે. પ્રેમ નિરાકાર અને નિરંજન છે. પ્રેમ ઈશ્વર છે. તેને કોઈ જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદ નડતાં નથી. પ્રેમ આપવા ઈચ્છે છે અને તે પણ અપેક્ષા વગર. જો આનંદમાં રહેવું હશે તો પ્રેમના પર્યાય બની જવું પડશે કારણ કે પ્રેમમાં આનંદ સમાયો છે. પ્રેમમાં રહેલા આનંદને અનુભવવા માટે તેનો પ્રયોગ શરુ કરી દો. માત્ર કુટુંબ કે સ્નેહી સ્વજનો જ નહિ, દુનિયાના તમામ જીવોને પોતાના માનો, અન્યના ગુણોને ઓળખતા શીખો તો પ્રેમ સ્વાભાવિક  ઉભરાશે. પોતાનો સ્વાર્થ ભલે ન સધાય પણ અન્યનું ભલું થાય છે તેમાં રાજી થાઓ. તમારી ચેતનાને વિશ્વવ્યાપી બનાવી દો”.

Screen Shot 2017-09-05 at 15.12.33.png

આપણે તો અનંતના યાત્રી છીએ. દેહમાં પૂરાઇને કેમ રહેવાય.

શરીર એ જ વેદનાની મૂર્તિ છે. અનંત દુઃખ તે દ્વારા જ આપણે ભોગવીએ છીએ. જન્મ - મરણ, વૃદ્ધાવસ્થા, રોગ, આ બધું દેહ સાથે જોડાયેલું દુઃખ છે. અવ્યાબાધ સુખ અને  શાશ્વત આનંદની પ્રાપ્તિ માટે જરૂરી છે કે આપણે જન્મમરણના દુઃખમયચક્રને હવે રોકી દઈએ અને સિદ્ધ પરમાત્માની જેમ વિદેહી અને અયોગી બની જઈએ.

શાશ્વત સુખ અને આનંદને આપણા જીવનનો અભિગમ બનાવી દઈએ.

શાશ્વત સુખને પ્રાપ્ત કરવા માટે આપણે ગુણોને સીંચતા રહીએ, પરમ સત્યને પામવાનું લક્ષ ક્યારેય ન ભૂલીએ, યોગ્ય જીવન વલણ અપનાવીએ, અનુશાસન અને સંયમ દ્વારા જીવનને ઉન્નત રાખીએ અને અંતે ભાઈશ્રી જેવા સમર્થ સંતની નિશ્રામાં આત્માના ગુણોને સમજી તેને સાધી દિવ્ય પ્રેમ અને આનંદમાં સ્થિર થઇ જઈએ. આત્મસાક્ષાત્કાર એ પ્રથમ પડાવ છે અને ત્યાર બાદ નિજસ્વરૂપની અખંડ સમાધિમાં અનંત કર્મોની નિર્જરા કરીને આ આત્માને મુક્ત કરવાનો છે. તમામ ગુણો પ્રેમમાં રહેલા છે. તે પ્રેમના દર્શન ભાઈશ્રીમાં થાય છે, તેમનું એ નિર્મોહી વાત્સલ્ય એ આપણી સજીવન મૂડી છે. તેમાં સતત ઝબોળાઈને પવિત્ર થતા રહેવાનું છે.                    

મારે આનંદમાં રહેવું છે અને આનંદની લ્હાણી કરવી છે. પણ એ કેવી રીતે શક્ય બને જો હું પોતે દીન અને દુઃખી હોઉં? જે મારી પાસે નથી તે હું અન્યને કેવી રીતે આપી શકું? શું આનંદની પ્રાપ્તિ આત્મસાક્ષાત્કાર પછી જ થશે?

એ વાત સાચી છે કે આનંદનો મૂળ સ્રોત આત્મા છે પણ જો હું મારું લૌકિક જીવન જાગૃતિપૂર્વક જીવીશ તો તે જીવનમાં અનેક પ્રકારના અલૌકિક ગુણપુષ્પો ખીલશે અને તેની સુવાસથી મારું જીવન આનંદથી મઘમઘી ઉઠશે. એવા કયા મહત્વના મુદ્દાઓ છે જે મારું લૌકિક જીવન અલૌકિક બનાવી દેશે?


જીવનને એક નવી દિશા આપો:

- સફળતા કરતાં સંતોષ અને સુખ, તેમજ સત્તા કરતાં શાંતિ વધારે મહત્વની છે એ યાદ રાખો.

- જીવનની દુઃખભરી સ્મૃતિઓને ભૂંસી નાખો અને ભુલાવી દો.

- અન્યમાં રહેલા ગુણોને જોતા રહો.

- પ્રાકૃતિક સૌંદર્ય મધ્યે રહેવાનો અધિક પ્રયાસ કરવો.

Calgary+29 happy.jpg

- પ્રગતિના પંથે આગળ વધતાં મારે સરખામણી મારી જાત સાથે કરવાની છે.  કોઈ અન્ય વ્યક્તિ સાથે નહિ. 

- અન્યના દુઃખને દૂર કરવાથી આપણું સુખ અનેકગણું વધે છે.

- જીવનની બધી જ પરિસ્થિતિઓમાં હસતા રહેવું, જીવનને વિશાળ બનાવવું અને ઉદાર બની આપણી શક્તિ અને ઉર્જાને મુક્તપણે વહેતી રાખવી.  

- શું ભેગું કર્યું એના કરતાં વધારે મહત્વનું એ છે કે શું વાપર્યું.

- કાંટાઓની ગણતરી કરવાને બદલે મળેલા ગુલાબોની ધન્યતા અનુભવો. જે મળ્યું તેમાં સંતોષ રાખી તેનો  સદ્ઉપયોગ કરવો.

Screen Shot 2017-09-05 at 15.16.56.png

- જીવનમાં સક્રિય રહેવું, રોજ નિયમિત વ્યાયામ કરવો અથવા તો કોઈ પણ રમત રમતા રહેવું, જેથી શરીરને કસરત મળે અને મન પ્રફુલ્લિત રહે. 

- વિષમ સંજોગોની મધ્યમાં પણ ખુશ રહી શકાય એમ છે. શાંતિ અને આનંદ એ જીવનના મુખ્ય બે લક્ષ રાખી તમામ પ્રવુતિઓ કરવી.   

- ભૂતકાળ અને  ભવિષ્યનો વિચાર છોડી દઈ વર્તમાનની ક્ષણમાં જીવવું. 

America 2009 Br V.jpg

- દિવ્ય સંગીત સાંભળતા રહેવું, ભલે આપણે બેસૂરા હોઈએ, છતાં પણ ગાતા રહેવું.

- જો સાદગીભર્યું જીવન જીવીશ તો મારો અંતરઆનંદ આપોઆપ જળવાઈ રહેશે.

- આપણે ઇચ્છીએ તો પણ બહારની દુનિયા બદલાવી નહિ શકીએ. હું બદલાઇશ તો મારી દુનિયા તેની મેળે બદલાઈ જશે માટે હું સદૈવ રાજી રહીશ.

- ઉત્તમ પુસ્તકો વાંચતા રહેવું કે જે વાંચી આપણો ઉત્સાહ અને થનગનાટ વધતો રહે. 

- હું એકલો આવ્યો છું  અને એકલો જવાનો છું, કંઈ લાવ્યો નથી અને કંઈ લઈ જવાનો નથી માટે મારું શું હતું જ કે ખોવાનો વારો આવે.

- જે થાય છે તે સારા માટે જ થાય છે. જે બને છે, તે યોગ્ય જ બને છે કારણ બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.

પરમ પૂજ્ય ભાઈશ્રી તેમજ પૂજ્ય મીનળબેનની જેમ હું હંમેશા આનંદમાં રહીશ અને જે મળે તેને આનંદની પ્રસાદી આપતો રહીશ. 

Screen Shot 2017-09-05 at 15.18.32.png

એક માત્ર આત્મા સાથેનો જ સંબંધ શાશ્વત આનંદને આપનારો છે.  સતદેવ, સતગુરુ અને સતધર્મ તે સંબંધ બંધાવી આપવામાં નિમિત્ત બને છે.

મહાત્મા ગાંધીજીના ચહેરાનું નૂર જોઈ એક અંગ્રેજ પત્રકારે પૂછ્યું:

પત્રકાર: “બાપુ, તમે સદૈવ આનંદમાં રહો છો, તે આનંદ પાછળનું રહસ્ય શું છે?
સચોટ અને માર્મિક ઉત્તર આપતા બાપુએ તુરંત જવાબ આપ્યો,
બાપુ: “તે આનંદ ત્યાગ માંથી પ્રગટે છે,  જયારે બધું છૂટી જાય ત્યારે મુક્તિનો આનંદ સહજ અનુભવાશે. તમે મુક્તાનંદ બની
જશો.”

પ્રશ્ન થાય કે ત્યાગની ખરી વ્યાખ્યા શું? શું સંસાર છોડી, કપડાં બદલાવી, સાધુ જીવન જીવવું એને જ ત્યાગ કહીશું?  “જે કંઈ આત્માને બાંધે તેને જતું કરવું તેનું નામ ત્યાગ”.  જ્યારે અંતરમાં ત્યાગ વેદાય ત્યારે વસ્તુઓને છોડવી પડતી નથી તે આપોઆપ છૂટી જાય છે. સમયના વહેણ સાથે કર્મકૃત જીવન સરકતું જાય છે. બધાંની વચ્ચે આપણે ઉભા છીએ અને છતાંએ કશામાં મોહ કે મમત્વ ન થાય તો સમજવું કે હવે આપણે ત્યાગની મસ્તીમાં જીવી રહ્યા છીએ. અંતરત્યાગ માટે બાહ્ય ત્યાગ જરૂરી છે.   સંઘર્ષોનો સામનો કરતી વખતે જો ધીરજ અને જાગૃતિ કેળવાય, અંદરથી અલિપ્ત રહી શકીએ તો દરેક પરિસ્થિતિને આપણે હર્ષપૂર્વક, આનંદ સાથે ઓળંગી જશું.   

ત્યાગ એજ મુક્તિ છે. ત્યાગ એજ તપ છે.  પુદગળ સાથે જોડાવું એ પરતંત્રતા છે, પુદગળને મનથી ત્યાગી દેવું એ સ્વતંત્રતા છે. મોક્ષ થવા માટે, દ્રવ્ય અને ભાવથી ત્યાગમાર્ગને આરાધવો પડશે.  સંસારમાં અનેક પ્રયોજનો છે પણ જેણે ત્યાગી જીવન જીવવું છે તેને પછી કોઈ પ્રયોજન રહેતું નથી. ત્યાગી મહાત્મા અસંગ થઇ મુક્તભાવે વહેતા રહે છે. તેમનો નિર્દોષ આનંદ અને તેમની અપૂર્વ શાંતિ અબાધિત રહે છે. નિર્દોષ, નિષ્કામ પરમ પૂજ્ય ભાઈશ્રી આવી રીતે મુક્તભાવે આનંદની લહાણી કરતાં જીવે છે. તેમના જીવનમાં માત્ર એક વસંતઋતુ જ છે.  હર્યાભર્યા અને ખીલેલા તેઓ ઉત્સાહ, પ્રેમ અને  આનંદના પર્યાય છે. પ્રાર્થીએ અને પુરુષાર્થ કરીએ કે જેથી તેમનો આનંદ આપણો બની જાય. 

mahatma-gandhi-laughing.jpeg

Goal 9: Inner Transformation

Goal 9:

Inner Transformation

Silence of speech and silence of mind is the state in which I want to firmly exist.

ધ્યેય ૯:

આંતરિક પરિવર્તન

હું બને ત્યાં સુધી મૌન રહીશ અને ચંચળ મનની વિચારધારાઓને શાંત કરીને આત્મભાવે નિર્મળ જીવન વ્યતિત કરીશ.

Goal 8 combined.jpg

Inner Transformation

A change that is irreversible and remains permanent is called “transformation”. This is a change that comes from deep within and lasts forever.   Only by discovering and connecting with our soul shall this transformation occur.

Just as milk becomes curd, a green unripe sour mango ripens and turns yellow and tastes sweet, and a small seed grows into a huge mighty tree , the human body keeps ageing. These changes are irreversible, but the change occurred is not a permanent state. With time, all of these objects continue to decay and eventually fall apart.

The transformation that we are working towards is very different. It leads to a permanent shift.

Let us begin our contemplation with our current state: past and present. Since time immemorial, we have been enduring inexhaustible pain. Our suffering has been immense. For endless time we have been brutalized and put to death. In consonance with karmas bound, the physical anatomy has kept modifying and our soul has always remained caged. Sadly we do not even realise that we are caged in the body.

In our mind it has now become explicitly clear that “Yes, I am the soul and not the body”, but this reality is not visible to us in the course of our daily actions. We do not recollect our past lives, nor are we able to see the influx of karmas, when they come and bind our soul. If we could, then our conduct would have surely been different.

Do we wish to bring about a revolutionary change? A permanent shift to the way we exist and endure in this universe. Who am I? Why do I suffer so much? Where have I come from and where will I go? These are the key questions that we have never answered.

In the vastness of this cosmos, our soul is merely a tiny speck, yet it is enormously empowered. We must explore, unveil and use our capabilities constructively in order to stop further enslaving our soul, and to free ourselves from all karmic bondage.

Shedding the mortal body forever , living in effortless, choiceless pure awareness is what we all seek. Residing in the body but living in self awareness is true inner transformation. How do we achieve this?

Steps of inner transformation:

Finding a True Guru, seeking His refuge we unconditionally surrender to Him. With His grace our inner transformation begins. Param Pujya Bhaishree has lovingly accepted us, in his graceful shelter we resolute to bring meaning and direction to our chaotic lives. Following and contemplating on His agnas , raising our awareness is the next step.

Initially for few months we remain enthusiastic , but then our efforts fizzle out. Why does this happen? How do we overcome it?

Overcoming the Hurdles :

What we enjoy is what we continue doing. When happiness is not reaped, the whole pursuit seems futile and we stop investing our time in it. Let us not make following agnas monotonous by introducing variety in performing them. Initially we may need a friend or a family member to jointly recite and read with us . Discussing the poems mutually, or singing them differently are some possible ways to preserve our interest and joy.

The fruits of contemplation are instant.
By contemplating, we actually allow our Guru to work within us. How many of us do this consciously? This is one of the most important element that can accelerate our progress. Yet we do not prioritise it and so do not have time to contemplate.

Lack of concentration is another big hurdle. Most of the time we are not present to what we are doing. Stressed and tired, how do we expect our mind to concentrate? Our lives are directed by the unconscious mind and then we resign to the outcome as our “fate”. Let us instead be conscious of the thoughts, feelings and behavior we exhibit.

Having unwavering faith, while we abide by our agnas is of utmost importance. In our darkest moments, it is faith that lights our hope and helps us to believe what we cannot see. It is faith that keeps us going.

A simple and noble life is most essential. Unfortunately to satisfy our worldly desires we busy ourselves with activities such as accumulating wealth. We have yet to realise that needs can be satisfied but greed can never be satiated. Vainly, trying to satisfy our greed, we keep compromising our ethical values and forsake our integrity.

Being disciplined, reviewing our priorities we ought to manage our time in the best possible manner. We have failed to understand that time it always our most valuable resource.

Aristotle said " Knowing yourself is beginning of all wisdom'. The deeper we go, the more we introspect, the more clearly we shall understand that we have been our own enemy. We are skilled at analysing our worldly failures but we rarely analyse our spiritual endeavors.  

To infuse our life with spirituality, we must relinquish and disengage ourselves from worldly matters. We must resist the temptation to keep engaging unnecessarily, advising and interrupting in matters that are of no real concern to us.

Valuing virtues, we need to cultivate and live them. We must dissolve our anger with forgiveness, pride with modesty, deceit with straightforwardness and greed with contentment. Virtues are our tools of enlightenment. Just look at Bhaishree: he is full of them! How tactfully he uses them and makes his and our world so divinely beautiful.

Even though we know that happiness lies within us, unabated, we keep seeking it outside. Colour, odour, shapes, taste and sensation keep attracting us. Ephemeral in nature, all of this keeps deteriorating. And yet we ignore this truth, when evaluating these fleeting attractions.     

By seeing good in others we feel happier, confident and loving. This virtue does wonders but we have yet to imbibe it. Most of the time we critically keep commenting on others' follies.

Without awareness we are not truly alive. Paying attention to detail is mindfulness. Patience and tolerance allows us to remain mindful. We haven't learnt to isolate ourselves and live in solitude. For taming and controlling our mind we need to regularly meditate. It is in meditation that we shall realise our soul.

We all desire inner motivation. This desire is the spark of motivation, but it is relentless determination and commitment that will equip to pursue our goals.

In order to know, we have to read; but to learn, we have to observe. Observing Bhaishree is the quickest path to achieving inner transformation.

 

આંતરિક પરિવર્તન - આંતરિક રૂપાંતર

આપણે સહુ આંતરિક પરિવર્તન ઇચ્છીએ છીએ. એવું પરિવર્તન કે જે રૂપાંતરિત કરી દે. વ્યક્તિ મૂળથી બદલાઈ જાય. આંતરિક પરિવર્તન કે જે અંતરના ઊંડાણમાંથી પ્રગટ થાય. આત્માનો સાક્ષાત્ અનુભવ થાય. અત્યાર સુધી દેહભાવે જીવતા હતા પણ હવે આત્મભાવે જીવવા લાગીએ. ઘેટાંનાં ટોળામાં રહેલા સિંહના બચ્ચાંને સમજાઈ ગયું કે હું ઘેટું નહીં પણ સિંહ છું. તેણે ગર્જના કરી અને ત્યાર બાદ સિંહ બની જીવવા લાગ્યો.

મેળવણ ઉમેરતાં દૂધ દહીં બની જાય, જે કેરી કાચી હતી, રંગ જેનો લીલો હતો અને સ્વાદમાં અતિશય ખાટી હતી પણ તે જ્યારે પાકી ગઈ, ત્યારે તેનો રંગ કેસરી થઈ ગયો અને સ્વાદમાં ખૂબ મીઠી બની ગઈ, એક નાનું બીજ હતું પણ સમય જતાં તે વટવૃક્ષ બની ગયું, એક નાનું બાળક જે કોઈનું સંતાન હતું તે આજે ખુદ એક વૃધ્ધ દાદાજી બની ગયો. આ બદલાવ એવો છે કે હવે તે ઇચ્છે તો પણ તેનું પહેલાંનું સ્વરૂપ ધારણ ન કરી શકે, કારણ તે સંપૂર્ણ બદલાઈ ગયું, રૂપાંતરિત થઈ ગયું. આને આપણે રૂપાંતરિત ને બદલે પર્યાયાંતરિત એમ ગણવું વધારે ઉચિત છે. કારણ જે બદલાયું, તે સમયના વહેણ સાથે હજુ બદલાતું રહેવાનું. અંતે સંયોગથી જેનું સર્જન છે તે સંયોગી દ્રવ્યો છૂટાં પડતાં તેનું વિસર્જન નિશ્ચિત છે જ. આપણે એવો બદલાવ ઈચ્છીએ છીએ, જે શાશ્વત હોય, આવ્યા બાદ સદાકાળ સુખને આપનારો હોય, તેને જ  આપણે ખરા અર્થમાં  રૂપાંતરિત થયાની માન્યતા આપીશું. આવા આંતરિક પરિવર્તનની ઊંડી વિચારણા કરતા પહેલાં આપણા ભૂતકાળ અને  વર્તમાન જીવન વિશે વિચાર કરી લઈએ.

અનંતકાળથી જીવ જન્મમરણ કરી રહ્યો છે. અનંત દુઃખ તેણે ભોગવ્યું છે. નરક - નિગોદમાં તેણે અતિશય પીડા સહન કરી છે. એક પળમાં તે અનેકવાર મર્યો છે. ચીરાયો, કપાયો, કુટાયો, ઘાણીમાં પીલાયો, તેલમાં તળાયો, અગ્નિમાં શેકાયો, ગરમ પાણીમાં બફાયો, કતલખાને હણાયો, તેની ક્રૂર હત્યા અનંત વાર થઈ છે. કર્મ અનુસાર સૂક્ષ્મ-બાદર, સ્થાવર કે ત્રસ એકેંદ્રિય થી પંચેંદ્રિય જીવ તરીકે અલગ અલગ શરીરોમાં તે પૂરાયેલો રહ્યો અને અપાર વેદના તેણે ભોગવી છે. દુઃખભર્યું આશ્ચર્ય છે કે જે શરીર ધારણ કરવાથી આવું અરેરાટી ઊપજાવે એવું દુઃખ તેણે ભોગવ્યું તે દેહ સાથે હજુ પણ અત્યંત મોહભાવે તે જોડાયેલો છે. આ દેહ પાંજરું છે અને હું આત્મા તેમાં પૂરાયેલો છું એવું લેશ એને લાગતું નથી. કેવી દયાજનક પરિસ્થિતિ?

ઊંઘમાંથી જગાડી કોઈ પૂછે કે તું કોણ છે? તો આપણે તુરંત જવાબ આપીશું કે હું આત્મા છું, છતાં આપણે આત્માને બદલે દેહને જ કેન્દ્રમાં રાખીને જીવીએ છીએ. આપણી માન્યતાને અનુસરતું જીવન જીવવામાં સફળ નથી થયા. મોહ અને મિથ્યાત્વનું સામ્રાજ્ય અનાદિકાળનું છે. તેની પકડમાંથી જીવ છૂટી શકયો નથી. પૂર્વના જન્મો યાદ નથી, તે તાદ્રશ્ય દેખાતા નથી અને ન તો દ્રવ્ય બંધના સમયે જે કર્મના રજકણો આવીને આત્માને આવરી લે છે તે દેખાય છે. જો આ બન્ને જોઈ શકાત તો આપણું જીવન વલણ જુદું જ હોત. નથી દેખાતું એ ઉપાધિ છે પણ કર્મવિપાકનું ફળ તો આપણે પળે પળે વેદી રહ્યા છીએ. જાગૃત થવા માટે તે કંઈ ઓછું છે?

શું આપણે એક ક્રાંતિકારી પરિવર્તન લાવવા ઇચ્છીએ છીએ ખરાં? મૂળથી રૂપાંતરિત થઈ અંતરના પરમ સત્યને પામી તે સત્યમાં રહીને જીવન જીવવું છે? પૂર્વે બાંધેલાં કર્મોને સમભાવે ભોગવી લઈને મુક્ત થવું છે? હું કોણ છું? આટઆટલું દુઃખ હું શું કામ ભોગવી રહ્યો છું? હું ક્યાંથી આવ્યો અને હવે પછી ક્યાં જઈશ?

શું આવા પ્રશ્નો અંતરમાં થાય છે? શાંત ચિત્તે તે પ્રશ્નોના જવાબ મેળવવાની કોશિષ કરી છે?

આ બ્રહ્માંડમાં એક નાના ટપકાં જેટલું જ ભલે મારું અસ્તિત્વ હોય, પણ હું જાણું છું કે મારો આત્મા અપાર શક્તિઓનો સ્વામી છે, સૂર્ય, ચંદ્ર અને તારા કરતાં પણ વિશેષ એ તેજ પૂંજ છે. તેના જ્ઞાનમાં આખુંય બ્રહ્માંડ સમાઈ જાય છે. ધરબાયેલી તે શક્તિને માત્ર ઉજાગર કરવાની છે. તે જ્ઞાનશક્તિનો સદ્ઉપયોગ કરીને હું નવા કર્મોથી મારા આત્માને બચાવી લઇશ અને આ જ ભવે જીવનમુક્ત દશા પ્રાપ્ત કરી અખંડ સમાધિમાં સ્થિર થઈશ. દેહનો વિલય થાય, એટલે કે નવું શરીર ધારણ ન કરવું પડે અને હું અયોગી સિદ્ધસ્વરુપી અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રની રત્નત્રય અભેદતામાં શાશ્વત બની રહું એ જ સાચું રૂપાંતરિતપણું છે.

આ ભવે, હું શરીરમાં રહેવા છતાં આત્મામાં જીવીશ, અંતર જાગૃતિના જ્ઞાન પ્રકાશમાં મોહનીય કર્મને છેદતો રહીશ. હું આ મનોરથ કઈ રીતે પૂરો કરીશ?

જીવમાંથી શિવ થવા માટેનાં આ છે પગથિયાં:

પ્રત્યક્ષ સદગુરુને શોધી તેમનું શરણ સ્વીકારી, સમર્પિત થયો  ત્યારથી જ આ પરિવર્તનની ધારા શરૂ થઈ ગઈ. પરમ પૂજ્ય ભાઈશ્રીએ બહુ પ્રેમથી મને સ્વીકાર્યો છે. તેમનું માર્ગદર્શન મળતાં મારું નિરર્થક  જીવન અર્થપૂર્ણ બન્યું છે. તેમની કલ્યાણકારી આજ્ઞાઓને પાળી, પરમાર્થને સમજી હું હવે મારા વ્યવહારમાં ધર્મને સ્થાપીશ.

શરૂઆતમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ગુરુ આજ્ઞા પાલન હું કરતો રહ્યો પણ તે જોશ અને જોમ ટકતા નથી. આરંભે શૂરા અને પછી પ્રમાદ, કંટાળો, સમયનો અભાવ જેવાં કારણો આવીને ઊભા રહી જાય. આવું શું કામ થતું હશે? શું તે અવરોધક તત્વોને દૂર કરી શકાય?

અવરોધક તત્વો

જે કાર્ય કરતાં આનંદ નથી મળતો તેને આપણે લાંબા સમય સુધી નથી કરી શકતા. પછી એવું લાગે કે જાણે સમય અને શક્તિ વ્યર્થ ખર્ચાઈ રહી છે. આપણું ઉપાદાન નબળું હોવાથી આપણે એકલા ધર્મની આરાધના નથી કરી શકતા, માટે કોઈ મિત્ર, સ્નેહી કે મુમુક્ષુ જો સાથે હોય તો એકબીજાને પ્રેરણા મળતી રહે. અંદરોઅંદર વિચારોનું આદાન પ્રદાન થાય, પદો જુદી રીતે ગવાય તો તેમાં રસ જળવાઈ રહે છે. એક જ પધ્ધતિએ રોજ એકની એક ક્રિયા મનને રસિક લાગતી નથી.        

“કર વિચાર તો પામ”: માર્ગ સમજવાનો અને પામવાનો આ અફર નિયમ છે. વિચારમાં અદભૂત શક્તિ હોય છે. સમજણ ખીલતાં જ આચરણમાં યોગ્ય ફેરફાર શરૂ થઈ જાય છે. આ રોકડીયો વેપાર છે. તુરંત લાભ થાય છે. જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ખરેખર આપણે ગુરુને અંતરમાં આવકારીએ છીએ. તેમની પ્રજ્ઞા આપણી મતિમાં કાર્યકારી થાય છે. જે વિચાર નથી કરતો તેને ધર્મના તાત્વિક રહસ્યો પ્રગટ થતા નથી. ભગવાનની વાણી સમજાય એનો અનેરો આનંદ છે. તે વાણી પ્રત્યેનો અહોભાવ થતાં વિપુલ નિર્જરા થાય છે. આવો દિવ્ય આનંદ અનુભવાતા જીવ પુરુષાર્થ કરવા માટે પ્રેરાય છે. શું આ ગતિશીલ જીવનમાં, વિચાર કરવા માટેનો આપણી પાસે સમય છે? તત્વને સમજવાની જિજ્ઞાસા છે કે પછી આપણી જ્ઞાન ચેતના સૂકાઈ ગઈ છે?        

એકાગ્રતા એ ખૂબ જરૂરી છે. ધર્મ કરતા હોઈએ ત્યારે ચંચળ મન સંસારના ચકડોળે ચઢે છે અને ભટકતું  રહે છે. વર્તમાનની ક્ષણમાં જે કાર્ય ચાલું છે તેમાં હાજર રહેવાને બદલે આપણું મન કારણ વગર આખા ગામમાં ફરવા જાય. નાહક સંસારની ઉપાધિઓનું પોટલું લઈ ફરતા રહીએ છીએ. અર્થ ઉપાર્જન માટે દોડાદોડી કરી થાકી જઇએ છીએ. માનસિક અને શારીરિક થાક હોય ત્યાં મન, શાંત અને સ્થિર ક્યાંથી રહેવાનું? ધીરજ કેળવીને ધીમી ગતિએ જીવન જીવશું  તો મન વ્યવસ્થિત રીતે એકાગ્રતા સાધી શકશે.

સતદેવ, સતગુરુ અને સતધર્મ પ્રત્યેનું અવિચળ શ્રદ્ધાન એ પાયાનો જરૂરી ગુણ છે. શ્રધ્ધા જીવંત હોવી જોઇએ. સદગુરુની નિશ્રામાં અવશ્ય મારું શ્રેય થવાનું જ છે એવી પરિપૂર્ણ શ્રધ્ધા હોય તો જ આત્મવિશ્વાસ સાથે આપણે પુરુષાર્થ કરી શકીએ છીએ. ઘોર અંધારું ભલે હોય પણ ખાતરી છે કે અમુક કાળ પછી સૂર્ય દેવતા આ જગતને અજવાળશે જ. મારા મોહનાં પડળો દૂર થશે જ. જ્યાં શ્રધ્ધા છે ત્યાં ન દેખાતી વસ્તુઓ પણ દેખાય છે. આ શ્રધ્ધા તે અંધશ્રધ્ધા નથી પણ સમજણપૂર્વકની, ધ્યેય સુધી પહોંચાડી દે એવી ભક્તિસહિતની શ્રધ્ધા છે.       

સાદગીભર્યું પવિત્ર જીવન જીવવું એ ધર્મ પામવા માટેની પૂર્વશરત છે. “ઇચ્છા નિરોધ તપ” એ જીવનના અંત સુધી આચરણ કરવા યોગ્ય અભ્યંતર તપ છે. કમનસીબે આ આધુનિક જગતની નૂતન વસ્તુઓ પ્રાપ્ત કરવાનો અભરખો એવો છે કે તે માટે આપણે સંપત્તિ ભેગી કરવામાં આખુંય આયખું બલિદાન કરી દઈએ છીએ. સાદગીભર્યાં નિર્મળ જીવન કરતાં લૌકિક મોટાઇ અને બાહ્ય ચમક દમક વધારે વહાલી લાગે છે. જરૂરિયાતને સંતોષી શકાય પણ લોભને કયાં થોભ છે? સંસારની સમસ્ત સંપત્તિ ચરણમાં હોય તોયે લોભી વ્યક્તિની નજર કંઇક બીજું મેળવવા ઇચ્છતી હોય છે. દાંભિક જીવન જીવતા આપણે ધર્મને સગવડીયો બનાવી દઈએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા ભૂલાઈ જાય છે. આવું જીવન જીવતો માનવી ગમે તેટલા સત્સંગ સાંભળે પણ એને બોધ પરિણમતો નથી.

અનુશાશન એ  વિકાસ માટે મહત્વનો ગુણ છે. સમયને અનુસરતું સુંદર સાત્વિક સદાચારી જીવન એ ધર્મના માર્ગે ચાલતા સાધક માટે ખૂબ આવશ્યક છે. જે અગત્યનું છે, તેનો વિચાર કરી તમામ કાર્યો કરવાં. મનુષ્યભવની દરેક ક્ષણ અમૂલ્ય છે તેને લૌકિક કાર્યોમાં વેડફી ન નાંખવી. વિવેકથી વિચારીને બધું કરવું. શું આપણે આવું જીવન જીવી રહ્યા છીએ?

એરિસ્ટોટલ કહેતા કે “જે પોતાની  જાતને ઓળખવાના પ્રયત્નોમાં જોડાય છે તેના અંતઃકરણમાં સત્યનો  પ્રકાશ પથરાવા લાગે છે.” જેટલા વધુ ઊંડા જઈશું તેટલા અધિક આપણે આપણી જાતને, આપણી સ્વભાવ પ્રકૃતિઓને, ગુણ-દોષને, શક્તિઓ તેમજ  નબળાઇઓને સમજતા થઈશું. શત્રુઓ બહાર નથી પણ આપણી અંદર છે. તે શત્રુઓને જીતવા એક રચનાત્મક આયોજન થશે. લૌકિક કાર્યોમાં જ્યારે આપણે નિષ્ફળ જઇએ છીએ ત્યારે ગંભીરતાપૂર્વક તેનું પૃથક્કરણ કરીએ છીએ પણ આધ્યાત્મિક પુરુષાર્થ કરતી વખતે શું ફળ આવ્યું તેનો વિચાર પણ કરતા નથી. શું મારા જીવનમાં પરિવર્તન આવ્યું? તટસ્થ રહી મે મારું મૂલ્યાંકન કર્યું છે?    

જીવનને આધ્યાત્મિક બનાવવું હશે તો આપણે નિર્લેપ અને અસંગ રહેવાનો મહાવરો કેળવવો પડશે.  હું મારું સંભાળીશ એવું સ્વાર્થી માનસ નથી પણ સ્વ-કેન્દ્રિત રહેવાની કૂંચી છે. પરપંચાયત, અન્યના જીવન વિષે  જાણવાની ઉત્સુકતા, સલાહ સૂચનો દ્વારા હસ્તક્ષેપ કરતા રહેવાની ટેવ, અભિપ્રાયો આપવાની આદત, આમ બહારના જગતની ખોટી ફીકર કરવામાં, જીવન પૂરું થઈ જાય છે. બીજાનું સુધારવામાં જીવ પોતાનું બગાડી રહ્યો છે એ કેમ નથી સમજતો?

ગુણાત્મક જીવન એ જ સાચું વૈભવશાળી જીવન છે.  ક્રોધને પ્રેમ અને ક્ષમાથી, માનને વિનમ્રતાથી, માયાને સરળતાથી અને લોભને સંતોષથી જીતી લેવા. દુર્ગુણોને ગુણો દ્વારા જીતી લઈ આપણે હારેલી બાજી જીતી શકીએ એમ છીએ. આત્મા સાધ્ય છે તો ગુણો એ સાધન છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને યથાર્થબોધ એ મૂળ પ્રાથમિક ગુણો છે. પાંચ ઇંદ્રિયોનું સંયમન તેમજ મનની સ્થિરતા એ લક્ષ્ય છે. ભાઈશ્રીને જોઇએ ત્યાં જ આપણને આનંદાશ્ચર્ય ઊપજે, આપણા નેત્રો ઠરે. ગુણોના તેઓ કોષ છે. કુનેહપૂર્વક તેઓ આ ગુણોનો ઉપયોગ કરતા હોય છે અને તેથી તેમનું તેમજ આપણું જીવન અતિ સુંદર બન્યું છે.

જાણીએ છીએ કે સાચો આનંદ આત્મામાં રહેલો છે. તે આનંદ પોતાનો છે, કોઈ પર-પદાર્થોના આધારે ટકેલો નથી. આવું જાણતાં છતાં નાદાન આપણે તેને બહારમાં જ શોધી રહ્યા છીએ. પુદગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ જ આપણી એકાગ્રતાનો વિષય બનેલ છે. પડી જવું, સડી જવું એ એનો સ્વભાવ છે છતાં તેના આ લક્ષણની અવગણના કરીને આપણે નિત નવા પદાર્થો પર મોહિત થતાં રહીએ છીએ. શાંતિ, સમતા, આનંદ આ બધું તારી અંદર અઢળક પડયું છે, બસ અંદર જવાની વાર છે.

ગુણગ્રાહ્ય વૃત્તિ કેળવાય ત્યારે આપણે અન્યને જોઈને હરહંમેશ આનંદ અને પ્રેમની લાગણી અનુભવીએ છીએ. અપ્રતિમ એવો આ ગુણ ગુણોનો રાજા ગણાય કારણ તે દ્વારા અનેક ગુણો આપણા ચારિત્ર્યમાં સ્થપાય છે. પ્રશમમૂર્તિ શ્રી તીર્થંકર ભગવાન એ સર્વગુણસંપન્ન છે. અહોભાવથી જ્યારે આપણે તેમની વીતરાગતા પ્રત્યે કેન્દ્રિત થઈએ છીએ ત્યારે તેમના જેવાં થવાની શરુઆત થઈ જાય છે. સદગુરુ તેમજ સતશાસ્ત્ર પ્રત્યે પણ તેવી જ રીતે વારી જવાનું છે. જે સામે આવે તેના ગુણ જોતા થઈ જઇએ તો જીવન પ્રેમ અને આનંદથી ઉભરાવા લાગશે. અફસોસ કે અન્યના દોષ જોવાની કુટેવને કારણે જીવે પોતનું જ નખ્ખોદ વાળ્યું છે.

“જે આત્મામાં જાગેલો છે તે ખરેખર જીવંત છે.”  
-જે બુજેન્ટલ.

આપણો ઉપયોગ એવો સતેજ હોય અને દ્રષ્ટિ એવી સૂક્ષ્મ કે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે ક્યાંય ભૂલચૂક ન થાય. બધું યથાયોગ્ય રીતે પાર પડે. ધીરજ અને સહનશીલતા હોય ત્યાં અંતર જાગૃતિની જ્યોતિ વધુ પ્રજ્વલિત રહે છે. એકાંતમાં અસંગ થઈ ધ્યાન સાધના કરી મનને પવિત્ર અને સ્થિર કરવાનું છે. ધ્યાનની સાધના નિયમિત રીતે કરતા રહીશું તો તે ધન્ય દિવસ દૂર નથી કે સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય.

અંતરની ઉદભવેલી ઇચ્છા એ સર્વ પ્રથમ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ત્યાર બાદ દ્રઢ સંકલ્પ અને સમર્પણ ભાવ હોય તો થાક્યા વગર આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધી શકીએ છીએ.

જાણવા માટે વાંચવું જરૂરી છે પણ શીખવા માટે ઝીણવટભર્યું નિરીક્ષણ. ભક્તિ ભાવે ભાઈશ્રીનું નિરીક્ષણ કરતા રહેવું એ આંતરિક પરિવર્તન તેમજ રૂપાંતરિત થવાનો સહજ અને સુગમ માર્ગ છે.

Goal 8: Respond Versus React

Goal 8:

Respond versus React

I will respond and not react. Calm and composed, I shall never make haste. Patience and tolerance are two most important virtues that I want to develop in me. Slow and steady, I want to remain mindful. With profound equanimity, I want to deal with all that comes my way.

ધ્યેય ૮:

પરિપક્વ વિ. અપરિપક્વ 

ભલે જીવન ગતિશીલ હોય પણ હું મારી ધીરજ નહિ ખોઉં. કોઈ પણ કાર્ય હું ઉતાવળે નહિ કરું. આંતરજાગૃત્તિને ટકાવવા માટે ધીરજ અને સહનશીલતાના ગુણો ખુબ જરૂરી છે. ઉદય કર્મને હું સમભાવે ભોગવીશ. મારું જીવન સમાધિ સ્વરૂપ બનાવીશ.

Goal 8 combined.jpg

The Choice: React or Respond

Whatever is happening in our life is neither good nor bad, neither fair nor unfair. It just is.

This attitude of acceptance brings peace into our hearts, and allows us to respond to every situation mindfully and compassionately. We can think about the longer term impact of what we say or do. We can choose to respond in a way that we won’t later regret.

Whenever any event unfolds in our life, it is important to remember that there must be a cause. There is a cause for every effect. Even as babies we learn that everything happens for a reason. Pushing an object will cause it to move, crying will cause people to give the baby attention, and bumping into something will cause body pain.

As we get older and events become more complex, it is not as simple to understand the cause and effect linkages. So when something doesn’t go as we had hoped, we are unable to grasp the true cause, and so we start to look for something to blame. More than ourselves we usually blame others and get frustrated.

Let us ask ourselves honestly:

Do I respond or do I react to life?
Am I mindful or am I impulsive?
Do emotions control my mind?

We always have a choice of how to respond, but we must be driving with enough awareness, and slowly enough, to make the right decision.

 

What is a reaction?

A reaction is instant. It is driven by beliefs, biases and prejudices of the unconscious mind. The unconscious mind is a reservoir of feelings, thoughts, urges and memories that exists outside of our conscious awareness. Most of these are negative emotions. What does it mean to do something “without thinking”. It means that the subconscious mind is running the show.

A reaction is based in the moment, and doesn’t take into consideration long term effects of what is said or done. A reaction is survival-oriented and on some level a defense mechanism. Sometimes the consequences are okay, but often a reaction is something you regret later.

What is a response?

A response usually comes more slowly. It is based on information from both the conscious mind and subconscious mind. A response will consider the well-being of oneself as well as all those around you or those that will be later impacted by our actions. It takes account of the long term effects and stays in line with your core values. Rising above the situation is responding. This means taking a pause and being mindful. This means not getting upset or triggered by emotions, but remaining calm and peaceful. The urge to act irrationally will arise but just keep watching it, and let it go.

When I look back on my knee-jerk reactions now, I realize I should have just taken a breath.
— Fred Durst

Here’s a real life example of the difference. On a Saturday evening the restaurant was full. Engrossed in conversation the guest were relishing their favourite dishes  On table number 7 a lady spotted a cockroach on the saree of another lady sitting opposite her. In a quick rush she reacted and pointed out to the lady who was unaware of the cockroach crawling on her saree. She too panicked and out of fear screamed. The frightened cockroach flew and soon settled on a lady sitting on table number 8. She too reacted similarly and now the cockroach took a flight and landed on a waiter’s elbow. The smart waiter, slowly and cautiously walked out of the restaurant and got rid of the cockroach. While the ladies reacted, the waiter who wasn’t much educated, wisely responded.

The starting point is acceptance

To cultivate the skill of responding rather than reacting, we must learn first to accept every situation. Only then can we give it a considered response. Acceptance requires remembering that we do not have control over our destiny. Consequences of life will suddenly erupt. The most unexpected shall happen. The real challenge is to gladly accept it.

Acceptance is not surrendering to life, or accepting defeat but rather addressing the problem in the most skillful way. When things don’t go our way, we must not become paralyzed by negative emotions such as anger, fear, resentment or regret. Instead we should take stock of the situation, build up tolerance and search for the best solution.

By choosing acceptance, we remind ourselves that what is happening in our life is neither good nor bad, neither fair nor unfair. It just is. So why not believe that whatever happens, happens for the best. It is what it is, but as the proverb says, “It will become, what you make of it.”

Acceptance is an act of trust. When I accept my current situation, I let go and know that if I continue aligning myself with the truth, I will be guided to where I need to go, and what I need to do.

We need to slow down

Our typical day looks something like this – waking up, rushing through shower, breakfast, driving to office, checking emails and social updates, meetings, doing real work, rushing through lunch, drive back home, watch TV, have dinner and  feeling drained off to bed late at night, only to wake up early morning again! With a never ending list to do, we keep running  against the time. Life has been a mad rush.

When we keep rushing through our life we actually miss out on the journey. We miss out on living in the present. We miss out on those precious moments of life. Instead of responding, we keep reacting. Emotions take charge of our mind and increasingly we behave in an unsound manner. At times we feel we are thinking but actually, we are rearranging our prejudices.

Do you have the patience to wait till your mud settles and the water is clear?
— Lao Tzu

Let us observe Bhaishree.

Soaked in awareness, all His responses are full of warmth and love. He patiently waits and takes a step back, understands and analyses the situation. Only thereafter he acts.

Bhaishree with Sunset.jpg

જવાબદારીભર્યું વલણ

આપણા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે, તે ન તો સારું છે કે ન ખરાબ, ન યોગ્ય છે કે ન અયોગ્ય. જે છે તે છે. કોઈ ભાવ કે પ્રતિભાવ નહીં. જ્ઞાતા ભાવે માત્ર સાક્ષી રહેવું છે. આ છે વીતરાગ બનવા માટેનો મહામાર્ગ. સાધના અને સમાધિના પંથે, મૌનમાંથી પ્રગટ થતી શાંતિ અને શાંતિમાંથી પ્રગટ થતું મન અને વાણીનું મૌન.

કોઈ પણ પરિસ્થિતિનો જ્યારે આપણે સહજ સ્વીકાર કરી શકીએ છીએ ત્યારે મનમાં શાંતિ વેદાય છે અને હૈયામાં આનંદ ઉભરાય છે.  આ આનંદ જુદો જ છે, ન્યારો છે. તે આનંદમાં એક મીઠી સમજણ છે, જે થાય છે તે બરાબર યોગ્ય છે. જે બનનાર છે તે ફરનાર નથી અને જે ફરનાર છે તે બનનાર નથી. ઉદય કર્મને અનુસરવાનો આ પ્રયત્ન છે. હે પ્રભુ ! તે બધા જ સંજોગોને મારા કલ્યાણ માટે જ સર્જ્યા છે એ મને પૂર્ણ શ્રધ્ધા છે. અંતરમાં આવી શાંતિ જાળવી શકીએ તો આપણે જાગૃતિ અને સમજણ સાથે જીવનનો સામનો કરતા થઈશું. અંદરની આ શાંતિ આપણી સાથે જોડાયેલા બધાને સમતા ભાવના વર્તુળમાં ધરી રાખશે. જીવન ધન્ય થતું રહેશે.

જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે અને થવાનું છે તેની પાછળ ચોક્કસ કોઈ નક્કર કારણ રહ્યું છે. કારણ વગર કાર્ય થતું નથી. નાના હતાં ત્યારે સમજાયું કે જો રમકડું ચલાવવું હશે તો ચાવી મારવી પડશે અથવા તો પાવરની સ્વીચને દબાવવી પડશે. જો હું રડીશ તો મારું ધાર્યું થશે. જો હું ક્યાંય ભટકાઈ જઈશ તો મને વાગી જશે.

જેમ મોટા થતાં જઇએ તેમ જીવનની સમસ્યાઓ વધુ જટિલ અને ગંભીર થતી જાય છે ત્યારે આ કારણ-કાર્ય સંબંધને વધુ સૂક્ષ્મ રીતે જાણવો જરૂરી બની જાય છે. આપણું જીવન, પ્રકૃતિ અને સ્વભાવ, વિચારધારા અને  ઇચ્છાઓ, આશય અને અભિગમ ઉપર જો આપણે લક્ષ આપીએ, તેને બરાબર તપાસીએ તો આ કારણ-કાર્ય સંબંધનું વિશ્લેષણ યોગ્ય રીતે કરી શકીશું. જીવનભરનો આ પુરુષાર્થ છે.


ધાર્યા પ્રમાણે જ્યારે નથી થતું ત્યારે સમજાતું નથી કે કેમ આમ બન્યું હશે? મૂંઝાઈ જઇએ, અસ્વસ્થ બની જઇએ ત્યારે માનસિક સમતુલન ખોઈ બેસીએ છીએ. અન્યના દોષ જોવાની ટેવને કારણે આપણે કાં તો કોઈ અન્ય વ્યક્તિ ઉપર, અથવા તો પરિસ્થિતિ ઉપર દોષારોપણ કરી દઈએ છીએ.

જીવન પ્રત્યેનું મારું વલણ કેવું છે તેનો સાચો ઉત્તર નિર્દંભપણે આપવાનો છે.

१) શું હું વિચારપૂર્વક વર્તું છું કે ઉતાવળે તુરંત પ્રતિભાવ આપી દઉં છું?
२) ધીરજને કેળવી, જાગૃતિ અને સમજણ સાથે હું મારા ઉદય કર્મોને ભોગવું છું કે પછી આવેગજન્ય પરિણામો સાથે પ્રતિક્રિયાઓ તાત્કાલિક હોય છે?
३) શું સંસારી લાગણીઓ અને ભાવોએ મારા મનને કબજે કરી લીધું છે?

જીવનના દરેક પગલે નાની કે મોટી સમસ્યાઓ ઊભી જ છે. પણ એ મારી ઉપર નિર્ભર છે કે ધીરજ કેળવીને શાંતિપૂર્વક તેનો સામનો કરવો કે ઉશ્કેરાઈ જઈ ઉતાવળે જવાબો આપવા અને કાર્યો  કરવા. પુરુષાર્થનો માર્ગ હરહંમેશ ખુલ્લો છે. હું જો ધારું તો સમભાવ રાખીને કર્મોને ખેરવી શકું.

અજાગૃતિ, અને વિચાર-રહિત વર્તન આપણે કોને કહીશું ?

તાબડતોબ, તત્ક્ષણ, વિચાર કર્યા વગર ભાવાવેશમાં આવી જઈને વર્તવું તે અજાગૃત, અપરિપક્વ માનસ સૂચવે છે. ઇચ્છાઓ, માન્યતાઓ, પૂર્વગ્રહો અંદરમાં રહ્યાં છે. અંદરના આ પરિબળોના રંગે મન રંગાયેલું છે. આ અજાગૃત મનમાં મોહભાવ સહિતના સંકલ્પ અને વિકલ્પો ઊભા થતાં જ રહે છે. જૂની સ્મૃતિઓ, સુખ અને દુઃખની અગણિત લાગણીઓ, વિવિધ પ્રકારના અસંખ્યાત વિચારોથી તે મન ભર્યું પડ્યું છે. તે અશાંત, અસંતુષ્ટ અને અસ્થિર છે. સંસારી મોજાઓનો ઘુઘવાટ તે મનમાં ચાલતો જ રહે છે. ઊંઘમાં પણ તે મન સ્વપ્ન દર્શન કરતું રહે છે. આવા મનને આપણે આપણું જીવન સોપ્યું છે. ભાઈશ્રી ન મળ્યા હોત તો આવા મનનો પરિચય કોણ કરાવત?

આવું મન ક્ષણમાં ઉશ્કેરાઈ જાય,  આવેલી સમસ્યાઓનો, સામે ઉભેલી વ્યક્તિઓનો, ઘાત પ્રત્યાઘાતનો કે કોઈ પણ પ્રકારનો મન વિચાર કરતું નથી અને આવેગ સાથે ઉભરો બહાર વ્યક્ત કરી દે છે. ન બોલવાનાં વચનો બોલાઈ જાય છે અને કષાયજન્ય પરિણામો કરીને તે પોતે પીડાય છે તેમજ આખાય વાતાવરણને કલુષિત કરે છે. તે મન લાંબું વિચારી શકતું નથી. અન્યની વાતને, દ્રષ્ટિ કે આશયને સમજવાનો પ્રયાસ સુધ્ધાં કરતું નથી. જડ અને વક્ર બની વર્તે છે. ભયની લાગણીઓથી તે ઘેરાયેલું છે. કોઈ હાનિ ન પહોચાડે, નુકશાન ન થાય તે એક માત્ર લક્ષ છે. પોતાનો સ્વાર્થ એ જ મુખ્ય છે. આવું મન યથાયોગ્ય રીતે જીવનને  દોરવી શકતું નથી. નિર્ણયો ખોટા લેવાય છે અને ફરી ફરી પશ્ચાતાપ કરવાનો વારો આવતો રહે છે. ખેદ અને દુઃખની ધારા સતત ચાલુ રહે છે. અવિનય અને અવિવેકનું સામ્રાજ્ય એ આવા મનનું પરિણામ છે.

વિચારપૂર્વકનું વર્તન આપણે કોને કહીશું?

ધીરજ, ગંભીરતા, શાંતિ, સ્થિરતા અને સ્વસ્થતા કેળવીને, પરિસ્થિતિને બધી જ અપેક્ષાએ સમજી, અન્યની વાત અને આશયને પામી પોતાનું તેમજ અન્યનું ભલું થાય તે રીતે વર્તે તેને જાગૃત મન કહેવાય.

જો આધ્યાત્મિક હોય તો હું શરીર નથી આત્મા છું, કંઈ લઈને આવ્યો નથી અને કંઈ લઈ જવાનો નથી, આ બદલાતું જગત અનિત્ય છે, જે કાંઈ બની રહ્યું છે તે કર્મોનું ફળ છે, પોતે કરેલાં પોતે ભોગવી રહ્યો છે, આવા અનેક સિધ્ધાંતો મનમાં ધારણ કરીને તે પ્રતિભાવ આપે છે. ઉશ્કેરાટ, આવેગ, ખેદ કે ઘૃણામાંનું કંઈ નહીં. પ્રેમ, સમર્પણ, સેવા, બલિદાનના ભાવો તેના મનમાં રહેલા હોય છે. અન્યનું ભલું તે પ્રથમ ઇચ્છે છે. સહન કરવું અને ક્ષમા આપતા રહેવું, જો  ભૂલ થાય તો ક્ષમા માંગી પણ લેવી. બાહ્ય તેમજ અંદરના પરિબળોથી પોતે બચીને રહે છે. તટસ્થભાવે, તે યોગ્ય દિશામાં, કલ્યાણના પંથે ચાલતો જ રહે છે. આ છે વિચારપૂર્વકનું વર્તન.

વિચાર કર્યા વગર તોફાની જીવન વલણને યાદ કરું છું ત્યારે મને થાય છે કે, મેં ધીરજ કેળવીને એક ઊંડો શ્વાસ લીધો હોત તો સારુ હતું.
— ફ્રેડ ડર્સ્ટ

શનિવારનો દિવસ હતો. જમવા આવેલા માણસોથી તે લોકપ્રિય રેસ્ટોરેન્ટ  ભરેલી હતી. મન ગમતી  વાનગીઓ ખાવામાં અને વાતચીત કરવામાં સર્વે ડૂબેલા હતા. ત્યાં ७ નં ના ટેબલ ઉપર બેઠેલા રૂપાળા બહેને ચીસ પાડીને પોતાની સામે બેઠેલા બહેનનું લક્ષ દોરતા કહ્યું કે તમારી સાડી ઉપર વંદો ( cockroach) ચાલી રહ્યો છે. તે બેન હેબતાઈ ગયા અને ભયથી તેમણે પણ ચીસ પાડી અને ઊભા થઈ ગયા, જેથી તે વંદો ઊડીને ८ નં ના ટેબલ પર બીજી બહેન ઉપર જઈ બેઠો. ફરી ચીસ નીકળી અને તે વંદો ઊડી ત્યાંના એક કર્મચારી ઉપર જઈ બેઠો. તે પીરસનારો વેઈટર હતો. અકળાયા વગર, શાંતિ રાખી તે ધીમી ગતિએ દરવાજા તરફ ગયો અને બહાર જઈ  વંદાને દૂર કરી તે પાછો આવ્યો. ભયના આવેગમાં તે ભણેલા બહેનોએ આખી રેસ્ટોરેંટને ગજાવી દીધી. જ્યારે તે ન ભણેલા છતાં ઘડાયેલા વેઈટરે પરિસ્થિતિને સાચવી લીધી.


કર્મકૃત આ જીવનની તમામ પરિસ્થિતિઓનો શાંત ભાવે સ્વીકાર અને આવકાર એ પ્રથમ આવશ્યકતા છે. સ્વીકાર કરી લેવો એટલે કંઈ આપણે પરિસ્થિતિને નતમસ્તક થઈ ગયા કે પછી આપણે જીવનમાં હારી ગયા છીએ એવું નથી પણ સમજણ સાથે તેનો સામનો કરવાની તે એક કળા છે. જ્યારે ધારેલું થતું નથી ત્યારે મૂંઝવણ ન અનુભવતા તેને પડકાર સમજી યોગ્ય પુરુષાર્થમાં જોડાઈ જવું. આવા સંજોગોમાં, જે વ્યથિત થાય છે, પીડા અનુભવે છે, તેનું મન નકારાત્મક રીતે આગળ વધે છે. ક્રોધ અને કષાયથી તેનું માનસિક સમતુલન ડગમગી જાય છે અને ન લેવાના નિર્ણયો તે લઈ લે છે. પાછળથી પસ્તાવાનો વારો આવે છે.

શાંત સ્વીકાર એ માનસિક પ્રૌઢતા છે. આપણે સમભાવના ઘરમાં રહીને જે જવા માટે આવે છે એની સાથે જોડાતા નથી અને આત્માને કલંકિત થતાં બચાવી લઇએ છીએ. યાદ એ રાખવાનું છે કે સંજોગો ત્યારે જ સચવાશે જ્યારે પ્રથમ આત્માને અને મનને આપણે સાચવી શકીશું. જે થાય છે એ સારા માટે થાય છે આ એક શક્તિશાળી વિચાર છે જે કવચ જેવું કાર્ય કરે છે. અહીં બધું કર્મ પ્રમાણે ઘટે છે એટલે ન્યાય અન્યાયનો શો વિચાર કરવો? જે છે તે છે. હું મારા જ્ઞાન સ્વભાવી આત્માના જ્ઞાન ગુણમાં માત્ર સમાઈ જાઉં.

શાંત સ્વીકાર એ ખરેખર તો શ્રધ્ધા છે. વાસ્તવિકતાને સભાનતા સાથે આપણે જોઇએ છીએ ત્યારે આપોઆપ તેની સાથે એક લયબધ્ધતા સધાય છે. તે લય યથાયોગ્ય પુરુષાર્થ કરાવી જે દિશામાં ચાલવાનું છે ત્યાં તે વ્યવસ્થિત રીતે ચલાવે છે.

જરૂરિયાત એ છે કે આ ગતિશીલ જીવનમાં આપણે દોડતા અટકી જઈએ. ધીરજનો ગુણ ખીલવી જીવનને સમજી જીવીએ.

રોજીંદા જીવનનો આપણો દિવસ આ પ્રમાણેનો છે: સવારે ઉઠીએ છીએ, સ્નાન કરી નાસ્તો કરીએ છીએ, ગાડીમાં ઑફીસ પહોંચી, કંપ્યૂટર દ્વારા જે ઇમેલ આવ્યા હોય તેના જવાબ આપી અથવા તો ધંધાના આંકડાઓ સાથે મૂલ્યાંકન કરતા રહી વધુ કમાણીના આયોજનમાં ડૂબી જઈએ છીએ. ફરી ફરી સોશિયલ મિડિયા દ્વારા જગત સાથેનો સંપર્ક સાધતા રહીએ છીએ. સાંજે ઘરે આવી જમી, ટીવી જોઈ સૂઈ જતા હોઈએ છીએ. આ બધું ખૂબ માનસિક દબાણ અને  ઝડપ સાથે કરીએ છીએ, શારીરિક અસ્વસ્થતા તેમજ ઉપાધિઓ અને અવરોધો આવીને નડે છે. મોહ અને મિથ્યાત્વ ભાવમાં જીવન પૂર્ણ થઈ જાય છે.

જ્યારે આપણે ઉતાવળે બધું કરીએ છીએ ત્યારે વર્તમાનની ક્ષણ ક્ષણની જાગૃતિ રહેતી નથી. તે  ક્ષણોમાં રહેલી શાંતિ અને આનંદને માણી શકતા નથી. ચિંતામાં ડૂબેલા, સંસારની ઉપાધિઓમાં ખોવાયેલા રહીએ છીએ. મોહથી ખરડાયેલો આત્મા લૌકિક મોટાઈ અને ભૌતિક સુખની ઇચ્છામાં દીન, હીન, લાચાર બની જાય છે. આવી માનસિકતા મધ્યે જીવન પ્રત્યેનું વલણ વિચારપૂર્વકનું ક્યાંથી રહેવાનું ? અફસોસ ! મોટા ભાગના મનુષ્ય આ મહામૂલ્ય મનુષ્યભવને વેડફી નાખે છે.

“શુંં આપણામાં એટલી ધીરજ છે કે ડહોળાયેલા પાણીમાં રહેલો કચરો નીચે બેસી જાય અને તે પાણી સ્વચ્છ પીવા યોગ્ય બને.”
-લાઓ ઝૂ

ચાલો આપણા આદર્શ પ.પૂ.ભાઇશ્રીને નિહાળીએ.

આત્મ જાગૃતિમાં, જ્ઞાનભાવમાં તેઓ ડૂબેલા છે.  પ્રસન્નતામાંથી પ્રગટ થતી તેમની પ્રેમસભર ઉષ્મા સહુને આવકારે છે. તેઓમાં રહેલી અખૂટ ધીરજ રાહ જોવા તૈયાર છે અને પછી વિચાર કરવા એક ડગલું  પાછા પોતાના જાગૃત મનમાં વિશ્રામ કરીને, સંજોગોને સમજી, વ્યક્તિઓને જાણી, હેતુને લક્ષમાં રાખીને પછી કાર્યો કરે છે. તેમની સાથે આપણું જીવન પણ ધન્ય થઈ રહ્યું છે. ૐ તત્ સત્.

Goal 7: Non Judgement

Goal 7:

Non Judgement

I shall never criticise and always refrain from giving advice or opinion.

ધ્યેય 7:

નિરાભિપ્રાયપણું

હું બીજાના દોષ નહિ જોઉં અને પરનિન્દા નહીં કરું. ન હું કોઈને સલાહ આપીશ કે ન મારો અભિપ્રાય જણાવીશ.

Goal 8 combined.jpg

OurCapacity to Judge: Blessing or Curse?

The capacity to see, think, understand, analyze, decide and then act is natural to us. At every step we are evaluating. Evaluation is a never ending process. In this human life, our soul is tremendously empowered. This inherent strength can become our biggest weakness too.

Since childhood we have been hearing the meaningful saying, "Never judge a book from its cover". Despite this most of us are quick to form opinions and also quick to criticise. With limited or superficial knowledge we keep pronouncing verdicts. If we reflect carefully upon this habit, it is an exercise by which we want to boost our ego. And in doing we may be unaware of the harm and damage we are causing both to others and ourselves. Talking loosely is thus a sign of immaturity. The shores of our unquiet minds are lashed with waves of thoughts. Such a chaotic mind spurts out many uncalled opinions and unsolicited advices.

The ever-changing nature of the world

Where do our strong opinions comes from? Each life experience that we endure brings us many realisations. Opinions are built and with confidence we declare judgements. However we must remember that even when our opinions are born of factual practicality, these are still our personal viewpoints and need not be universally acceptable to all. Experience too keeps varying. The context is always changing, with different activity, people involved, situations, and innovations. Yet our opinions often remain stagnant.

Ephemerality is the key characteristic of reality. In this world where everything is changing all the time, how can our fixed opinions and judgements remain valid?

Therefore we must remain utmostly cautious or rather try to restrain from expressing our viewpoint even in private gatherings. Exuding peace and dwelling in silence, we ought to remain a mere witness while we are in public domain. These days platforms like Whatsapp and Facebook make it all the more tempting to constantly share our opinions. Even in times of social injustice we must reflect if we really need to raise our concern, and voice our opinion. Reading a newspaper, on seeing a person or his clothes, visiting someone's home, eating food, hearing a piece of music we keep comparing and commenting. Even if we may not actively participate we still want to be a silent part of the gossip corner, as it seems to be most entertaining for many of us. Unnecessarily, our deluded mind remains active in other's territory. Why worry about other's business when we cannot manage our own?

For each of us, our own opinion is of much value, as we feel it is carefully formed from the deeper understanding we have of everything that exists in this world. Despite being a spiritual seeker, most of the time, our focus remains external. We continue inspecting and investigating all that comes our way. Thus we keep the gates open for the karmas to afflict our soul.

Reality can be viewed from multiple perspectives

Why do two different people view the same situation in completely different ways? Anekantvad is the spirit of Jainism. It means multiple viewpoints are possible. It is the notion that reality is perceived differently from diverse points of view, and that no single point of view is the complete truth, yet taken together they comprise the complete truth.

Our own views are based on our own conditioning, values, education and exposure to life events as we grow up. Being non judgemental is about understanding the limitations of our perspective, and being open to other perspectives, viewing world through the eyes of others. Eventually this empathy will build our tolerance and we shall be more sensitive and more compassionate. Non judgement is to accept with free will what is noble, true and pure.

The eternal true nature of reality

Perception differs, and thus the truth too, but the fundamental principles that govern our reality, remain constant forever. Wise are those, who in light of these uniform golden rules, assess and appraise all that is happening around them.

Tirthankar Bhagwans proclaimed many such doctrines of truth. So precise and perfect, in any era of time they progressively uphold us on the path of Moksh. It is essential that we read and study them in detail for only then shall we be able to arrive at a “right judgement”.

 

Conclusion

Let us observe Bhaishree. Ahead of any conclusion, immaculate Bhaishree will diligently first consider the relative and the absolute viewpoint. The relative viewpoint takes care of the transient nature and the absolute will consider the ceaseless aspect. The repercussions and the chain reaction is all well considered before he speaks or acts. In every situation and setting he remains diligent and yet firmly detached and divine. Weighing every word, His wisdom is Gospel's truth. Living his words, we too shall become like Him.

Those who worship the virtues consequently stop judging. Being spiritual is to remain neutral and equanimous.

ધ્યેય ૭: નિરાભિપ્રાયપણુ

જોવું, જાણવુ, વિચારવું, સમજવું  અને પછી નિર્ણય લઈને કાર્યની શરૂઆત કરવી, રોજબરોજના જીવનનો આ છે સામાન્ય ક્રમ. કાર્યની શરૂઆત હોય કે પૂર્ણાહુતિ આપણે  સતત જે કાર્ય થઈ રહ્યું છે તેનું મૂલ્યાંકન સમયાંતરે કરતાંજ  રહીએ છીએ. લાભ-હાનીનો વિચાર સતત અંતરમાં ચાલતો જ રહે છે. પારમાર્થિક  દ્રષ્ટિના અભાવે, સંસારી જીવાત્મઓનું મુલ્યાંકન લૌકિક ભાવે થતું રહે છે. તેથી જે શક્તિ ભવ તારક બને એમ છે તે જ શક્તિ મોટા ભાગના મનુષ્યો માટે  જન્મમરણ વધારનારી બની જાય છે. આ બાબત પર આપણે ગંભીર વિચારણા કરવી જરૂરી છે.

મન અને બુદ્ધિને આત્માની શક્તિ પ્રાપ્ત થતા, ન ધારેલું કાર્ય મનુષ્ય કરી શકે એમ છે. સદગુરુ   નિશ્રામાં, વર્તમાન ભવમાં, આત્માની અનંત સુષુપ્ત શક્તિઓને આપણે જગાડવી  છે.

આપણે નાના હતા ત્યારથી જ સાંભળતા આવ્યા છીએ કે પુસ્તકનું પુઠું જોઈને કે ફિલ્મના પોસ્ટર ઉપરથી તે પુસ્તક કે ફિલ્મ વિશેનો કોઈ અભિપ્રાય ન બાંધવો જોઇએ. મોટે ભાગે આપણે આપણો અભિપ્રાય ખુબ જલ્દીથી બાંધી લઈએ છીએ. પહેલી મુલાકાતમાં જ આપણે એક વ્યક્તિને સમ્પૂર્ણ રીતે ઓળખી  શકતા નથી છતાં તે વ્યક્તિનો એક દોષ કે ગુણનો પરિચય થાય ને અંતર મનમાં તેના વિશેની એક છાપ ઊભી થઈ જાય છે. તે છાપ ખોટી હોવાની પુરી શક્યતા છે.  આવો અભિપ્રાય ઘણી વાર પૂર્વગ્રહ બનીને તે વ્યક્તિ સાથેના તમામ વ્યવહારમાં અને નિર્ણયો લેવામાં આડો આવે છે.

જીવનના અનુભવોમાંથી પસાર થઈએ છીએ ત્યારે અનેક બોધપાઠો આપણે શીખતા રહીએ  છીએ. અભિપ્રાયો બંધાય છે અને સમજણ સાથે કે પછી ઉતાવળે પૂરેપૂરું સમજ્યા વગર તે અભિપ્રાયોને આપણે જાહેર કરી દઈએ છીએ.

કોઈ શહેરના એક ભાગમાં આપણે ગયા હોઈએ અને આખું શહેર હજુ જોયું નથી તો પણ જે ભાગમાં આપણે છીએ ત્યાં ગંદકી હોય તો એમ કહી દેતાં જરાય અચકાતા નથી કે આખુંય શહેર ગંદુ છે. આવા અભિપ્રાયો માત્ર આપણા અભિમાનને પોષે છે. હું જાણું છું, હોશિયાર અને ચતુર છું, મને બધી ખબર છે, એ ભાવને આપણે અન્ય પાસે સ્થાપિત કરીએ છીએ. અપરિપક્વ માનસિક સ્થિતિને કારણે આપણે આવી રીતે વર્તીએ છીએ. બને ત્યાં સુધી આપણે અભિપ્રાયો આપવા જ ન જોઇએ અને જ્યારે આપીએ ત્યારે ધીરજ કેળવીને બધીજ અપેક્ષાઓનો   વિચાર કરી તે અભિપ્રાય જાહેર કરવો જોઇયે.

એક ખોટો અભિપ્રાય અન્યના જીવનને ઘણું નુકશાન પહોંચાડે છે તેનો ખ્યાલ સુધ્ધાં નથી હોતો. અભિપ્રાય આપવાની આવશ્યકતા નથી ત્યાં પણ દોઢ ડાહ્યા થઈએ છીએ. કોઈએ સલાહ માંગી નથી પણ આપણે આપવા તત્પર હોઈએ છીએ. શું કામ બીજાના જીવનમાં હસ્તક્ષેપ કરતા હશું. પોતાનું  જીવન વ્યવસ્થિત જીવી શકતા નથી અને બીજાની ફિકર અને ઉપાધિઓ દૂર કરવાનાં પ્રયત્નોમાં જોડાયને આપણે શું સિદ્ધ કરવા ઈરછીએ છીએ? મહાપુરુષો એમ કહે છે “હે જીવ તું તારું સંભાળ”  

આ જગત સતત બદલાતું રહે છે. અહીં કશું સ્થિર નથી. જ્યાં આવી બાહ્ય પરિસ્થિતિ હોય ત્યાં આપણે જાહેર કરેલા અભિપ્રાયો  કેટલા સાચા નીવડે ? તદ ઉપરાંત દરેકની જોવાની દ્રષ્ટિ, જીવનના મૂલ્યો, અભિગમ તેમજ રસ અને રુચિ જુદાં હોય છે. દરેકનું સત્ય અહીં  જુદું છે. કર્મો અનુસાર દરેક પોતનું જીવન જીવે છે. વ્યક્તિનો સ્વભાવ અને પ્રકૃતિઓ પણ જુદાં  છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના અંગત અભિપ્રાયોથી પોતાનું જીવન જીવી રહ્યો છે. માટે કંઈ પણ અભિપ્રાય ન આપતાં મૌન રહેવું એજ ઉત્તમ છે. જ્યારે બધા સાથે હોય ત્યારે આપણે અંતરની શાંતિ અને આનંદની મસ્તીમાં જીવવાનો પુરુષાર્થ કરતા રહેવું. જ્ઞાતા અને દ્રષ્ટાભાવે અલિપ્ત અને અસંગ રહેવું.

જો સમાજમાં હિંસા, દુરાચાર અન્યાય થતા હોય ત્યારે અહિંસાત્મક રીતે તેનો વિરોધ કરવો પણ જરૂરી છે.

છાપું વાંચતા,  કોઇએ પહેરેલાં કપડાં કે આભૂષણ જોઈને, કોઈનું ઘર જોયા બાદ, વાનગી કે ભોજન ખાઈને, સંગીત સાંભળીને, ચિત્રો જોઈને, જીવનમાં ડગલે ને પગલે, આપણે સતત સરખામણી કરતા રહીએ છીએ અને સંકોચ વગર પરમ સત્યની ઉદઘોષણા કરતાં હોઈએ તેવી રીતે આપણા  મતને જાહેર કરીએ છીએ. આપણા માટે આપણો એ મત ખુબ અગત્યનો છે. આપણે એમ માનીએ છીએ કે વિશ્લેષણ કરવાની શક્તિ અને ઊંડી સમજણમાંથી આપણે કંઈ  કહી રહ્યા છીએ. આ જગતમાં આટ આટલા વર્ષોં શું  અમસ્તા ગાળ્યા છે , એવું અભિમાન સ્પષ્ટ અંતરમાં રહ્યું છે પણ તે અજ્ઞાન વશ વેદાતું નથી. આપણા અભિમાનને આપણે બીજા માટેની કરુણા તરીકે ઓળખાવીએ છીએ.

આધ્યાત્મિક સાધક હોવા છતાં આપણા લક્ષની ધારા બહારમાં, પર પદાર્થોને જોવામાં અને તેમાંથી  સુખ મેળવવા રોકાયેલી રહી છે. પુદગલના રૂપ, રસ, ગંધ અને આકાર આપણી એકાગ્રતાનો વિષય બની છે. આમ આશ્રવના દ્વારો આપણે ખુલ્લાં રાખીએ છીએ અને કર્મો આવીને આત્માને આવરી લે છે. આપણી કુતૂહલ વૃતિ  એવી છે કે કાર્ય સાથે જોડાયેલા ન હોય તો પણ બધું જાણવા માટે ઉત્સુક રહીએ છે. પરનિંદા અને  વિકથામાંથી આનંદ મેળવીએ છીએ. આવી માનસિકતા હોય ત્યાં આધ્યાત્મિક ભાવમાં, ધર્મધ્યાનમાં જીવ કેવી રીતે ટકી શકે.?

જૈન ધર્મમાંથી  અનેકાંતવાદની  દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એક વસ્તુને વિવિધ નયથી જોવાની અને સમજવાની આ અદભૂત રીત છે.  બે વિપરીત નય કે દ્રષ્ટિકોણ હોય છતાં તે બન્ને એક બીજા પ્રત્યે પ્રેમ અને આદર ભાવ રાખી શકે અને હળીમળીને રહી શકે છે. અભિપ્રાયોથી મુક્ત થવું એટલે પોતામાં સમાઈ જવું. કોઈ પ્રતિભાવ આપવો નહીં ઉદયનો શાંત સહજ સ્વીકાર અને આવકાર. કોઈ ફરિયાદ નહીં, કેવળ મનનો રાજીપો. અસંગ, અલિપ્ત જીવન.

બદલાતા જગતમાં દ્રશ્ય અને દ્રષ્ટિકોણ બન્ને પર્યાયંતર પામતા રહેશે. માયાવી જગતનું સત્ય ક્ષણિક હોય છે છતાં આ જગત જે સિદ્ધાંતો ઊપર ચાલી અને ટકી રહ્યું છે તે સર્વે અફર છે, શાશ્વત છે. તે સિધ્ધાંતોને બરાબર સમજી મનમાં ધારણ કરી જીવન જીવવાનું છે. તે સત્ય એવું ને એવું રહે છે. દ્રષ્ટિ, દ્રષ્ટિકોણ આવું  કશું તેમાં નડતું નથી. તીર્થંકર ભગવાને તેમના નિર્મળ જ્ઞાનમાંથી  આ સિધ્ધાંતો ભાખેલા છે. તેમની દ્રષ્ટિથી આ જગતને જોવાનો પ્રયત્ન કરશું તો તે અનેરૂ દેખાશે. છ દ્રવ્ય સ્વરૂપે તે જગતને આપણે જોતાં થઈશું. પછી આપણા તમામ અભિપ્રાયો મોક્ષ તરફ લઈ જશે.

કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં  પરમ પૂજય ભાઇશ્રી શાંત ચિત્તે જે કંઈ છે તેને પ્રથમ ધીરજ રાખી સમજવાનો પ્રયત્ન કરશે. પછી તુલનાત્મક રીતે વ્યવહાર અને નિશ્ચયનો તેઓ ઉત્તમ સમન્વય સાધીને નિર્ણય લેશે. તેઓ આદર્શ છે. તેઓ પોતાનો અભિપ્રાય ભાગ્યેજ જાહેર કરતા હોય છે. સામે વાળાનો દ્રષ્ટીકોણ, વિચારધારા, ઉદેશ બધું વ્યવસ્થિત સમજીને વ્યવહાર કરશે. ઓછું બોલશે અને મધુર સ્મિત વેર્યા કરશે. એમનો ઉપદેશ અને આજ્ઞાને જીવનમાં ઉતારી આપણે તેમના જેવાં થઈ શકીશું.

ઉપસંહાર

જે ગુણો તરફ કેન્દ્રિત થાય છે તે અભિપ્રાયો આપતા નથી. ઉચ્ચતમ આધ્યાત્મિકતા એ જ કે  સમતા અને સમાધિભાવમાં  સમાય જવું, સમાયને રહેવું.